Friday, May 1, 2026
HomeGujarat'જીતુભાઈ વાઘાણીથી શરૂ થયું કારડિયા રાજપૂત સમાજને ડેમેજ કરવાનું, 5 વર્ષથી જોઈએ...

‘જીતુભાઈ વાઘાણીથી શરૂ થયું કારડિયા રાજપૂત સમાજને ડેમેજ કરવાનું, 5 વર્ષથી જોઈએ છે’- રાજકોટમાં મહેશસિંહ રાજપૂત થયા લાલઘૂમ

- Advertisement -

હઠીસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ.રાજકોટ): ભાજપ અને કારડિયા રાજપૂત સમાજ વચ્ચે ઘણી વખત મનદુઃખ થયા છે. વધુ એક વખત જ્યારે નેતાઓના નિવેદનોને કારણે મનદુઃખ થયું ત્યારે રાજકોટ ખાતે કારડિયા રાજપૂત સમાજના અગ્રણી મહેશસિંહ રાજપૂત દ્વારા ભાજપમાં રહેલા કારડિયા રાજપૂત નેતાઓને સવાલ કરવામાં આવ્યો છે કે તમે નક્કી કરો અને કહો કે તમે સમાજ સાથે પહેલા છો કે પક્ષ સાથે.

ભાવનગરમાં શિહોર ખાતે યોજાયેલી ભાજપની રવિવારની એક બેઠક દરમિયાન મહામંત્રીની ગેરહાજરી વખતે ભાવનગર જિલ્લા પ્રમુખે આકરા શબ્દોમાં પુછ્યું હતું કે ભાજપ મોટો કે કારડિયા રાજપૂત સમાજ. ભાવનગર જિલ્લા પાર્ટી પ્રમુખ મુકેશ લંગાળિયા આ બેઠકમાં ગેરહાજર આગેવાનો કયા તેવો સવાલ કર્યો હતો. જે વાતચિતનો ઓડિયો વાયરલ થયા પછી કારડિયા રાજપૂત સમાજ ખુબ નારાજ થયો હતો. જોકે આ કાર્યક્રમની સાથે સાથે કારડિયા રાજપૂત સમાજનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના કાર્યક્રમમાં કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર ન હતા. જે જવાબ સાંભળી મુકેશ લંગાળિયા અકળાયા અને કહ્યું કે, ભાજવ મોટો કે કારડિયા રાજપૂત સમાજ? તેમણે કહ્યું કે તાત્કાલીક અસરથી કારડિયા રાજપૂત સમાજના આગેવાન વિજયસિંહને સસ્પેન્ડ કરો અને કરી દેવાયા હતા.

- Advertisement -

હવે આ મામલાને લઈને સમાજ ભાજપના નેતાઓ પર જબ્બર આકરો થયો છે. નેતાના આકરા શબ્દો હવે નેતાને જ ભારે પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઓડિયો જ્યારે વાયરલ થયો તે પછી આ મુદ્દા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુકેશ લંગાળિયાને પ્રમુખ પદેથી હટાવી દેવાની માગ પણ કરાઈ હતી. હવે આ મામલે રાજકોટના કારડિયા રાજપૂત સમાજના અગ્રણી મહેશસિંહ રાજપૂત પણ આકરા થયા અને તેમણે પોતાના સમાજના નેતાઓને જ સ્પષ્ટિકરણ કરવા કહ્યું હતું.

તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી જોઈએ છે કે કારડિયા રાજપૂત સમાજને કેમ ડેમેજ કરવો તે ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણીથી શરૂ થયું છે. જીતુભાઈના જ પ્રતિનિધિએ ભાવનગરની અંદર એમના મહામંત્રીને એવું કહેવામાં આવ્યું કે, કારડિયા રાજપૂત સમાજ મોટો નથી, ભાજપ મોટું છે, તેથી ભાજપના કાર્યક્રમમાં હાજર રહેવું. ત્યારે હું બહુ સ્પષ્ટ રીતે ભાજપના કારડિયા રાજપૂત સમાજના નેતાઓને પુછવા માગું છું, તેમાં વજુભાઈ હોય કે, જશાભાઈ બારડ હોય કે કાનભા હોય કે અર્જુનસિંહ સહિતના નેતાઓને પુછવા માગુ છું કે તમારા માટે સમાજ પહેલા છે કે ભાજપ પહેલા છે કારણ કે અહીં જાણવું જરૂરી છે કે તમે સમાજના આગેવાન થઈને ફરી રહ્યા છો. ત્યારે તમે નક્કી કરો કે તમે સમાજ સાથે છો કે પાર્ટી સાથે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular