Sunday, May 3, 2026
HomeGujaratગાંધીનગર: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ, તેમની અર્બુદા સેનાના કાર્યકર્તાઓમાં...

ગાંધીનગર: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ, તેમની અર્બુદા સેનાના કાર્યકર્તાઓમાં રોષ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. ગુજરાતમાં વર્ષોથી સત્તા ધરાવતી ભાજપ પણ આ વખતે નિશ્ચિંત રહીને ચૂંટણી લડી શકે તેવો માહોલ આ વર્ષે જોવા મળી રહ્યો નથી. ગુજરાતનાં રાજકારણમાં પ્રવેશ કરી રહેલી આમ આદમી પાર્ટી હોય કે ગુજરાતનાં રાજકારણના જૂના જોગી ગણાતી કોંગ્રેસ હોય ભાજપ ઉપર સતત પ્રહારો કરી રહ્યા છે. તેવામાં આજે એક અહેવાલ સામે આવ્યો છે કે વર્ષોથી ભાજપની નજીક રહેલા અને તાજેતરમાં ભાજપ વિરુદ્ધ કામ કરી રહેલા વિપુલ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

વિપુલ ચૌધરી અગાઉ ભજપમાં સક્રિય હતા અને તેઓ મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. વિપુલ ચૌધરી અને તેમના સીએની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 320 કરોડના બોગસ વ્યવહારો કરવા બાબતે ધરપકડ કરવામાં આવી છે. આની અગાઉ પણ એક વાર આ કેસમાં વિપુલ ચૌધરીની ધરપપકડ થઈ ચૂકી હતી અને આજે ફરી એક વાર તેમની અને તેમના સીએની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ કરવામાં આવી તે સામેના CCTV ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર કેસની તપાસ દરમિયાન વિપુલ ચૌધરીના પુત્રની પણ સંડોવણી ખૂલે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

- Advertisement -

છેલ્લા કેટલાક સમયથી વિપુલ ચૌધરી અર્બુદા સેન બનાવીને ભાજપ વિરોધી કામ કરી રહ્યા હતા તેવી પણ અટકળો સામે આવી હતી જેના કારણે ભાજપની નજર વિપુલ ચૌધરી ઉપર હતી. ગઇકાલે રાતે વિપુલ ચૌધરીની ધરપકડ થતાં તેમની અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળ્યો છે. સેનાના દ્વારા આજે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે અને જો વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી અર્બુદા સેનાના આગેવાનોએ આપી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular