Sunday, June 7, 2026
HomeGeneralચૂંટણી પંચ કહે તે પહેલાં રાજકોટ ભાજપના નેતાએ જાહેર કરી વિધાનસભા ઇલેક્શનની...

ચૂંટણી પંચ કહે તે પહેલાં રાજકોટ ભાજપના નેતાએ જાહેર કરી વિધાનસભા ઇલેક્શનની આચારસંહિતાની તારીખ, જાણો બીજું શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: સામાન્યતઃ ચૂંટણી ની તમામ કામગીરી ચૂંટણી પંચના દેખરેખ હેઠળ થાય છે પરંતુ હમણાં રાજકોટ ભાજપના નેતાના એક નિવેદને એટલે ચકચાર જગાવી છે કારણકે ચૂંટણી પંચનું આ ગામ પણ તેમણે કરી નાખ્યું હોય તેમ આચાર સહિતાની તારીખ તેમને જાહેર કરી હતી, આ ઉપરાંત ચૂંટણી ક્યારે આવશે તેવું પણ જણાવ્યું હતું.

રાજકોટ ભાજપની કારોબારી બેઠક આજે હેમુ ગઢવી હોલમાં મળી હતી. જેમાં કારોબારી બેઠક ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત મોગરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કાર્યકરોને સંબોધતા ભાજપ નેતા ડો. બોઘરા એ ચૂંટણીની આચાર સંહિતા 15 ઓક્ટોબરથી આવી જશે એટલે આપણી પાસે 100થી 125 દિવસ જ બાકી છે, 15 ઓક્ટોબર પછી આપણી પાસે સમય નથી રહે એટલે તૈયારીઓ શરૂ કરી દો, એવું નિવેદન કર્યું હતું.


- Advertisement -

આ નિવેદન કર્યા પછી જ્યારે મીડિયા સાથે તેમની વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું કેમ એ તો કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું કે ચૂંટણી ડિસેમ્બરમાં આવે તે નિશ્ચિત છે. એટલે 2 મહિના પહેલા ચૂંટણીની તૈયારીઓ થતી હોય છે જના અંદાજ મુજબ 15 ઓક્ટોબર પછી તમારી પાસે કામ કરવાનો સમય નથી એટલે માત્ર આટલા જ દિવસો બાકી છે અને એ પ્રમાણે પ્રચાર-પ્રસારનું કામ કરવું જોઈએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular