Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadઢોર નિયંત્રણ પોલિસીનું આજથી અમલીકરણ થશે શરૂ, લાયસન્સ વિનાના ઢોર શહેરની હદ...

ઢોર નિયંત્રણ પોલિસીનું આજથી અમલીકરણ થશે શરૂ, લાયસન્સ વિનાના ઢોર શહેરની હદ બહાર ખસેડવામાં આવશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાતમાં ઘણા સમયથી રખડતાં ઢોરના ત્રાસને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) રખડતાં ઢોરના ત્રાસ (Stray Cattle Menace) બાબતે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી અને સરકારને રખડતાં ઢોર બાબતે ચોક્કસ પોલિસી ઘડી કાઢવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોલીસી ઘડી કાઢવા કરેલા નિર્દેશ અન્વયે પશુત્રાસ અટકાવ નિયંત્રણ પોલિસી-2023 ઘડી કાઢી હતી અને તે મુજબ પશુમાલિકોને 1 ડિસેમ્બર સુધી ઢોર રાખવા માટેનું લાયસન્સ કઢાવી લેવાની જાહેર નોટિસ આપવામાં આવી હતી. સાથે જ પશુમાલિકો પાસે માલિકીની જમીન હોવી પણ આવશ્ય છે, તેમ કોર્પોરેશન દ્વારા કહેવામા આવ્યું હતું. ત્યારે આજે 1 ડિસેમ્બરથી પશુ નિયંત્રણ પોલિસીનું (Cattle control policy) અમલીકરણ થવા જઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુ નિયંત્રણ માટેની પોલિસી નક્કી કરવામાં આવી હતી. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી પોલિસી મુજબ પશુ માલિકે પોતાની માલિકીના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું તથા લાયસન્સ મેળવવું જરૂરી છે. તેની સાથે પશુ માલિક પાસે માલીકીની જગ્યા હોવી પણ આવશ્યક છે. જો કોઈ પશુ લાયસન્સ વિના રસ્તા પર રખડતું પકડવામાં આવશે, તો તે પશુને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની હદ બહાર ખસેડી દેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા દિવાળી બાદ પશુપાલકો માટે અંતિમ જાહેર નોટીસ જાહેર કરવામાં આવી હતી અને પોલિસીનું ચુસ્ત અમલીકરણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આજે 1 ડિસેમ્બરથી તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

- Advertisement -

બીજી બાજુ તંત્ર દ્વારા જાહેર કરાયેલી નવી પોલિસીનો માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે તંત્ર દ્વારા રખડતાં ધોરણો ત્રાસ અટકાવવા જે પોલીસી નક્કી કરવામાં આવી છે તેનો કેટલી હદે અમલ થઈ શકશે તે જોવાનું રહેશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular