Thursday, October 16, 2025
HomeGujaratBhavnagarભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું શોષણ કરનારા સિનિયર વિદ્યાર્થી તબીબના જામીન નામંજુર

ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું શોષણ કરનારા સિનિયર વિદ્યાર્થી તબીબના જામીન નામંજુર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરની મેડિકલ કોલેજમાં (Bhavnagar Medical College) તાજેતરમાં જૂનિયર વિદ્યાર્થી સિનિયરના વિદ્યાર્થી તબીબના શારીરિક શોષણનો (Student Physical abuse) શિકાર બન્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે આ બનાવ સામે આવતા કોલેજના જૂનિયર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. આ મામલે વિલંબ બાદ આખરે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં (Bhavnagar Police) ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેને લઈને શારીરિક શોષણ કરનારા વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આરોપી વિદ્યાર્થી દ્વારા સેશન્સ કોર્ટમાં (Sessions Court) જામીન અરજી કરવામાં આવી હતી. આજે કોર્ટ દ્વારા આ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરનાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલાયો

- Advertisement -

શું હતો સમગ્ર મામલો

ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ શારીરિક શોષણ થયું હોવાની જાણ ભાવનગર એ-ડિવિઝન પોલીસને કરી હતી. વિદ્યાર્થીનો આક્ષેપ હતો કે, તેના જ કોલેજમાં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થી ડૉ. હરીશ વેગીએ રૂમમાં બોલાવીને તેનું શારીરિક શોષણ કરીને બળજબરીથી શારીરિક સતામણી કરી હતી. આ અંગેની વાત જૂનિયર વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને કરતાં જૂનિયર વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ભોગ બનારા વિદ્યાર્થીને ડીન સમક્ષ ફરિયાદ કરવા માટે લઈ ગયા હતા.

વધુ વાંચો : ભાવનગર મેડિકલ કોલેજમાં યુવકના શારીરિક શોષણ મામલે અંતે ગુનો નોંધાયો

કોલેજ સત્તાધીશોને જૂનિયર વિદ્યાર્થી સાથે થયેલા શારીરિક શોષણ અંગેની જાણકારી મળતા આ મામલાની તપાસ કમિટીને સોંપી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવામાં વિલંબ થતાં જૂનિયર વિદ્યાર્થીઓના જૂથે હોબાળો મચાવ્યો હતો. આખરે આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા ડૉ. હરીશ વેગીની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો હતો. ત્યારે ડૉ. હરીશ વેગી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજી અંગે જિલ્લા સરકારી વકીલ મનોજ જોષી, મદદનીશ સરકારી વકીલ શૈલેષ ભટ્ટ અને સી. એમ. પરમારની રજૂઆતોને ધ્યાનમાં લઈને આરોપી ડૉ. વેગીના રેગ્યુલર જામીન અરજી ઈન્ચાર્જ એડીશનલ સેશનસ જજ દ્વારા નામંજુર કરવામાં આવ્યા છે.

- Advertisement -

વધુ વાંચો : ભાવનગર મેડિકલ કોલેજમાં દુષ્કૃત્યની શરમજનક ઘટના, પોલીસ અને કોલેજ તંત્રની વરવી ભૂમિકા આવી સામે

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular