નવજીવન ન્યૂઝ. મુંબઈ: દેશમાં અનેક સમસ્યા છે પરંતુ એક સમસ્યા એવી પણ છે જેનું નિરાકરણ સામાજિક રીતે ખુબ જરૂરી છે. વળી આ સમસ્યા પાછળનું કારણ પણ દેશમાં લૈંગીક અસમાનતાના કારણે દિકરીના જન્મનો ઓછો દર પણ માનવમાં આવે છે. આ સમસ્યા છે કુંવારા પુરુષોની સમસ્યા, હાસ્યાસ્પદ લાગતી આ વાતને ગંભીરતા પૂર્વક લેવાય માટે આજે કુંવારા એટલે કે વાંઢા યુવકોએ ઘોડે ચઢી વરરાજા બની સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.
વાંઢાનો વરઘોડો નિકળ્યો
સમગ્ર ઘટના એવી છે કે, મહારાષ્ટ્રના સોલાપુરમાં એક રેલી નિકળી અને તે રેલીમાં વરરાજાના વેશમાં ઘોડા પર બેઠેલા યુવકોએ આકર્ષણ જણાવ્યું હતું. આકર્ષણનું કારણ પણ ગજબ છે કેમકે, યુવકો કુંવારા હતા અને વિરોધ કરી રહ્યા હતા કે સરકાર અમારા માટે કન્યા મળે તેવી કંઈક ગોઠવણ કરે. ટૂંકમાં કહીએ તો વાંઢા યુવાનોએ ઘોડે બેસી જાન કાઢી હતી અને સરકારને અપિલ કરી હતી કે અમારા માટે કન્યા શોધવા માટે કંઈક કરો.
ઢોલ નગારા સાથે સરકારને કહ્યું આ કામ કરો
સોલાપુરમાં લગ્ન નહીં થવાના કારણે પરેશાન યુવકોએ અનોખું આંદોલન કર્યું છે તે કદાચ દેશમાં સૌ પ્રથમ વખત થયું હશે. યુવકોએ માત્ર ઘોડે ચઢી વરરાજાનો વેશ ધારણ કર્યો હોય તેવું પણ ન હતું. રીતસર યુવકોએ લગ્નની જેમ જ ઢોલ નગારા પણ રાખ્યા હતા અને રેલી કરી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં છોકરીઓની સંખ્યા દરરોજ ઘટી રહી છે જેથી અમે કુંવારા રહી ગયા છીએ. વળી તેમણે એવી પણ માગણી કરી હતી કે, સરકાર અમારા માટે યુવતીની શોધ કરે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








