Saturday, October 4, 2025
HomeGeneralઅમદાવાદમાં 27 વર્ષ જૂના બ્રિજનું સમારકામ કામ થશે, વાહનચાલકોને બે મહિના ટ્રાફિકની...

અમદાવાદમાં 27 વર્ષ જૂના બ્રિજનું સમારકામ કામ થશે, વાહનચાલકોને બે મહિના ટ્રાફિકની સમસ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં રાહદારીઓને કાળઝાળ ગરમીમાં વધુ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ શકે છે. જીવરાજપાર્ક બ્રિજનું સમારકામ શરૂ થવાનું છે. બ્રીજની બંને તરફની લેનમાં કુલ 44 જોઇન્ટને તંત્ર દ્વારા રિપેર કરવામાં આવશે. બ્રિજનું સમારકામ શરૂ થવાનું હોવાથી વાહન ચાલકોને બેથી ત્રણ મહિના સુધી ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે.



અમદાવાદમાં વધી રહેલા ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. તો બીજી બાજુ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત જૂના બ્રિજના પણ સમારકામ કરી રહ્યા છે. જે હેઠળ હવે તંત્ર દ્વારા જીવરાજપાર્ક બ્રિજને સમારકામ કરવાનું શરૂ કરશે. તંત્ર દ્વારા 80 લાખના ખર્ચે જીવરાજ પાર્ક બ્રિજના રિપેરિંગ કરવામાં આવશે. બ્રિજના રોડ પરના એક્સ્પાન્શન જોઇન્ટથી વાહનચાલકોને અકસ્માત થઈ રહ્યા છે. ઉપરાંત રાતના સમયે એક્સ્પાન્શન જોઇન્ટની તિરાડો ટુ-વ્હીલરચાલકો માટે જોખમી બની રહી છે.

જીવરાજ પાર્ક બ્રિજ શ્યામાપ્રસાદ મુખરજી બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રિજનું નિર્માણ 1995માં ઔડાએ કર્યું હતું. આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે. બ્રિજ 27 વર્ષ જૂનો હોવાથી સમારકામની જરૂરિયાત ઊભી થઈ હતી. પહેલા જીવરાજ પાર્કથી શ્યામલ ચાર રસ્તા તરફ જતાં રસ્તાનું રિપેરિંગ કરવામાં આવશે. આ રિપેરિંગ એક મહિનો સુધી ચાલશે. ત્યાર બાદ શ્યામલ ચાર રસ્તાથી જીવરાજ પાર્ક તરફ જતાં રસ્તાનું રિપેરિંગ હાથ ધરવામાં આવશે. જીવરાજપાર્ક બ્રિજના સમારકામ પાછળ બે મહિનાનો સમય લાગશે તેવો તંત્રનો દાવો છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular