Wednesday, July 15, 2026
HomeGujarat'બે દિવસમાં કદાચ મરી જશે': દિલ્હી હાઈકોર્ટમાં સોનમને 'ફોર્સ ફિડીંગ' કરવાની માગ...

‘બે દિવસમાં કદાચ મરી જશે’: દિલ્હી હાઈકોર્ટમાં સોનમને ‘ફોર્સ ફિડીંગ’ કરવાની માગ કરાઈ

- Advertisement -

NEET exam protest Sonam Wangchuk: નીટ (NEET) પરીક્ષામાં કથિત ગેરરીતિઓના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની માંગ સાથે આમરણાંત ઉપવાસ (Indefinite Hunger Strike) પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk)ના ઉપવાસનો 18મો દિવસ પૂર્ણ થયો છે. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તેઓ આ જ રીતે ઉપવાસ ચાલુ રાખશે તો કદાચ બે દિવસથી વધુ જીવિત રહી શકશે નહીં.

વકીલ રાકેશ કુમાર સૈની (Rakesh Kumar Saini) દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિત અરજી (Public Interest Litigation – PIL)માં સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને સોનમ વાંગચુકને સરકારી હોસ્પિટલ (Government Hospital)માં ખસેડીને જરૂરી પોષક તત્ત્વો, વિટામિન (Vitamin) અને મિનરલ્સ (Minerals) પ્રવાહી આહાર (Liquid Diet) મારફતે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- Advertisement -

અરજીમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર આ મામલે અસંવેદનશીલ છે અને સોનમ વાંગચુકની સ્થિતિ પ્રત્યે કોઈ ચિંતા દર્શાવી રહી નથી. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન (Peaceful Protest) કરવું નાગરિકોનો મૂળભૂત લોકશાહી અધિકાર છે અને જો આ રીતે તેમનું મૃત્યુ થાય તો તે દેશ અને વિશ્વ માટે શરમજનક બાબત ગણાશે.

દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય (Chief Justice D.K. Upadhyaya) અને જસ્ટિસ તેજસ કારિયા (Justice Tejas Karia)ની બેન્ચે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર (Union of India) તરફથી કોઈ પ્રતિનિધિ હાજર ન હોવાથી હવે આ અરજી પર આવતીકાલે સુનાવણી કરવામાં આવશે. અદાલતે રજિસ્ટ્રીને આજના જ દિવસે સંબંધિત સત્તાવાળાઓને આદેશની નકલ મોકલવા પણ જણાવ્યું છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે 59 વર્ષીય સોનમ વાંગચુકનું અત્યાર સુધીમાં અંદાજે 8.5 કિલોગ્રામ વજન ઘટી ગયું છે. અરજદારે એવો પણ આક્ષેપ કર્યો છે કે સરકાર તેમની સાથે ગંભીર ગુનેગાર, આતંકવાદી અથવા દેશદ્રોહી જેવો વ્યવહાર કરી રહી છે અને તેમની સ્થિતિ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે.

- Advertisement -

અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા યોગ્ય સમયે પગલાં ન ભરવામાં આવે તો તેને આત્મહત્યાને પ્રોત્સાહન (Abetment of Suicide) સમાન ગણાવી શકાય.

ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુક 28 જૂનથી કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party – CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાયા બાદ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેઓ નીટ સહિતની વિવિધ પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દે કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular