Monday, April 20, 2026
HomeGujaratધ્રાંગધ્રામાં તાંત્રિક વિધિ કરી 5 વર્ષીય બાળકની હત્યા: 15 દિવસ બાદ પોસ્ટમોર્ટમમાં...

ધ્રાંગધ્રામાં તાંત્રિક વિધિ કરી 5 વર્ષીય બાળકની હત્યા: 15 દિવસ બાદ પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના રહસ્યમય મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અકસ્માત તરીકે જોવામાં આવેલ આ ઘટના હવે હત્યા હોવાનું બહાર આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે બાળકનું મોત સ્વાભાવિક નહોતું પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બાળક પર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી અને તે પ્રક્રિયા દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રેહાના માયકે નામની મહિલા તાંત્રિકની સંડોવણી બહાર આવી છે. પોલીસ દ્વારા આરોપી મહિલા તાંત્રિક રેહાનાની અટકાયત કરવામાં આવી છે અને હાલમાં તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

- Advertisement -

આ ઘટના ધ્રાંગધ્રાના પુનીતનગર વિસ્તારમાં બની હતી, જ્યાં બાળકનો મૃતદેહ પાણીની કુંડીમાંથી મળ્યો હતો. ઘટનાના સમયે આ કેસને અકસ્માત માનવામાં આવ્યો હતો અને બાળકને દફનાવી દેવાયો હતો. જોકે, લગભગ 15 દિવસ બાદ બાળકના માતા-પિતાએ શંકા વ્યક્ત કરી હતી કે તેમના બાળક સાથે કંઈક અજુગતું બન્યું છે અને તેની હત્યા થઈ હોઈ શકે છે.

માતા-પિતાની શંકાને આધારે પોલીસે મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કબ્રસ્તાનમાંથી દફનાવાયેલ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. સાથે જ ફોરેન્સિક લેબમાં પણ તપાસ કરવામાં આવી હતી.

પોલીસે સમગ્ર મામલે શંકાસ્પદ લોકો પર નજર રાખી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે રેહાના માયકે નામની મહિલા, જેને ભુવા તરીકે ઓળખવામાં આવે છે, તેણે તાંત્રિક વિધિના નામે બાળકની હત્યા કરી હતી.

- Advertisement -

હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular