નવજીવન. નવી દિલ્હીઃ ભારતે શનિવારે અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોરથી કરવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અગ્નિ પી મિસાઇલ અગ્નિ શ્રેણીની નવી પેઢીની અદ્યતન મિસાઇલ છે. તેની ફાયર પાવર 1000થી 2000 કિમી ની વચ્ચે છે. અગ્નિ-પ એ બેલેસ્ટિક મિસાઇલની અગ્નિ શ્રેણીમાં છઠ્ઠી મિસાઇલ છે. આ મિસાઇલ જમીનથી સપાટી પર હુમલો કરી શકે છે. પરમાણુ સક્ષમ મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતે ઓડિશાના ચાંદીપુરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એર વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. અગાઉ બ્રહ્મોસે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એન્ટી શિપ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલનું પરીક્ષણ આંદામાન અને નિકોબાર ટાપુઓ પરથી કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓ આગામી કેટલાક દિવસોમાં અત્યાધુનિક મિસાઇલોની વધુ કેટલીક બેલિસ્ટિક અને ક્રૂઝ શ્રેણીનું પરીક્ષણ કરે તેવી શક્યતા છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









