Thursday, April 30, 2026
HomeGujaratમધ્યપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 15ના મોત 40 થી વધુ...

મધ્યપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 15ના મોત 40 થી વધુ ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રીવા: મધ્યપ્રદેશના રીવા પાસે નેશનલ હાઈવે-30 પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. જેમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રાહદારીઓની માહિતી બાદ સોહાગી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ટિયોન્થાર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત લોકોને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના નેશનલ હાઈવે-30 પર મધ્યપ્રદેશ-ઉત્તર પ્રદેશની સરહદે સુહાગી પર્વત પાસે બની હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, બસ રીવા થઈને જબલપુર થઈને અલ્હાબાદ જઈ રહી હતી. કટનીથી બસમાં ઘણા લોકો બેઠા હતા. તમામ લોકો દિવાળીની રજા મનાવવા ઉત્તર પ્રદેશમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. અકસ્માત મોડી રાત્રે થયો હતો. બસની આગળ એક ટ્રેલર જઈ રહ્યું હતું. ટ્રેલર એક વાહન સાથે અથડાયું હતું, જેના કારણે ટ્રક રોડ પર ઉભુ રહી ગયું હતું, જ્યારે પાછળથી આવતી ઝડપી બસે ટ્રેલરને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસની આગળ બેઠેલા તમામ લોકોના મોત થયા હતા.

- Advertisement -

બસમાં લગભગ 100 લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતાં જ એસપી કલેક્ટર સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પહેલા ઘાયલોને સુહાગી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં ગંભીર રીતે ઘાયલોને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાગના મજૂરો હૈદરાબાદના સિકંદરાબાદથી કટની આવ્યા હતા. આ લોકો કટનીથી યુપી જવા માટે બસમાં ચઢ્યા હતા. મૃતકો ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારના રહેવાસી હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોડી રાત્રે રીવા જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે સવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી અને તેમને ઘટનાની જાણકારી આપી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular