Sunday, October 26, 2025
HomeGujaratVadodaraવડોદરાની જાણીતી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, મા કાર્ડ...

વડોદરાની જાણીતી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, મા કાર્ડ યોજના માટે ત્રણ માસ માટે સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં (Vadodara) આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ કેંસરની (Sterling cancer hospital) સારવાર માટે જાણીતી છે. સરકારની એક યોજના મા કાર્ડ (MA card schemes) નામે ચાલી રહી છે, જેમાં મા કાર્ડ ધરાવતા દર્દીની સારવાર માટેની રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે. મા કાર્ડ ધરાવતા દર્દીને બિલની રકમ સરકાર ચૂકવે છે, પણ સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ત્રણ દર્દીઓએ ફરિયાદ કરતાં આરોગ્ય વિભાગે હોસ્પિટલ સામે કાર્યવાહી કરતાં મા કાર્ડ યોજનામાંથી સ્ટર્લિંગ હોસ્પિટલને સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં આવેલી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં મા કાર્ડ યોજના હેઠળ દર્દીઓને સુવિધા ન આપતા તથા દર્દીઓ પાસેથી રૂપિયા લેવાના મામલે ત્રણ લોકોએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી. વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે દર્દીઓને માં કાર્ડ યોજનાથી વંચિત રાખવાની ફરિયાદને પગલે આરોગ્ય વિભાગે તપાસ કરતાં સ્ટર્લિંગ હોસ્પિટલને મા કાર્ડ યોજના માટે ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. સાથે આરોગ્ય વિભાગે સ્ટર્લિંગ હોસ્પિટલને 28.40 લાખ જેટલો દંડ પણ ફટકાર્યો છે. દર્દીઓની ફરિયાદને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને હોસ્પિટલ સામે કાર્યવાહી કરી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણી ખાનગી હોસ્પિટલમાં સરકારી યોજના અંતર્ગત દર્દીઓની સારવાર કરવામાં રસ હોતો નથી, કારણ કે આ હોસ્પિટલ્સ સારવાર અને ઓપરેશન કરવાના લાખો રૂપિયા વસૂલે છે અને સરકાર તરફથી આ સારવાર કે ઓપરેશન માટે નિર્ધારિત રકમ જ આપવામાં આવે છે. જેથી ઘણી વાર સરકારી યોજનામાં આવતા દર્દીઓની સારવાર કરવામાં આનાકાની કરે છે. હાલ તો વડોદરાન એક કિસ્સો સામે આવ્યો છે, પરંતુ આવી અન્ય પણ ઘણી હોસ્પિટલ છે. જે અંગે પણ સરકારે અને આરોયા વિભાગે કાર્યવાહી કરવી જોઈએ.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular