Wednesday, July 15, 2026
HomeInternationalહોર્મુઝ સ્ટ્રેટ પર ટ્રમ્પના 20% ટોલ પ્રસ્તાવથી ભારતની ચિંતા કેમ વધી શકે?

હોર્મુઝ સ્ટ્રેટ પર ટ્રમ્પના 20% ટોલ પ્રસ્તાવથી ભારતની ચિંતા કેમ વધી શકે?

- Advertisement -

Strait of Hormuz Iran vs US: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માંથી પસાર થતા જહાજો પર 20 ટકા ટોલ (Toll) વસૂલવાનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ વૈશ્વિક વેપાર અને ઊર્જા બજારમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને કાચા તેલ (Crude Oil) અને ગેસ (Gas)ની આયાત પર નિર્ભર દેશો માટે આ નિર્ણયની સંભવિત અસરને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.

અમેરિકા અને ઈરાન (Iran) વચ્ચે ફરી વધેલા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ વધુ વધી ગયું છે. થોડા દિવસોની શાંતિ બાદ બંને દેશો વચ્ચે ફરી અથડામણ શરૂ થઈ હતી. અમેરિકા દ્વારા ઈરાનના અનેક ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જ્યારે ઈરાને બહેરિન (Bahrain), કુવૈત (Kuwait) સહિતના ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.

- Advertisement -

17 જૂને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)માં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખુલ્લો રાખવાની વાત કરવામાં આવી હતી. જોકે બાદમાં અમેરિકા દ્વારા બોમ્બમારો શરૂ થતાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ અમેરિકાએ દાવો કર્યો હતો કે જળમાર્ગ ખુલ્લો છે અને જહાજોની અવરજવર સુરક્ષિત રીતે ચાલુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર પોસ્ટ કરીને અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટનો ‘ગાર્ડિયન’ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે જળમાર્ગમાંથી પસાર થતા તમામ કાર્ગો (Cargo) પર 20 ટકા ટોલ વસૂલવામાં આવશે અને આ રકમ સુરક્ષા વ્યવસ્થા તથા અમેરિકી સૈનિકોના ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવશે. સાથે જ તેમણે ઈરાન સામે ફરી નૌકાબંધી (Naval Blockade) લાગુ કરવાની પણ વાત કરી હતી.

ટ્રમ્પના નિવેદનનો જવાબ આપતા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi)એ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટનો સાચો ‘ગાર્ડિયન’ ઈરાન છે. તેમણે એમ પણ જણાવ્યું કે સુરક્ષાના બદલામાં વળતર મળવું જોઈએ, પરંતુ 20 ટકા ટોલનો દર ખૂબ જ વધુ છે અને યોગ્ય દર ઈરાન નક્કી કરશે.

- Advertisement -

ટ્રમ્પના આ પ્રસ્તાવને લઈને આંતરરાષ્ટ્રીય કાયદા પર પણ ચર્ચા શરૂ થઈ છે. 1982ના યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઑન ધ લો ઑફ ધ સી (United Nations Convention on the Law of the Sea – UNCLOS) અનુસાર આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાંથી જહાજોને અવરોધ વિના પસાર થવાનો અધિકાર છે. આ કાયદા હેઠળ કોઈ ત્રીજા દેશને આવા જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ફરજિયાત ટોલ વસૂલવાની મંજૂરી આપવામાં આવી નથી. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (International Maritime Organization – IMO)એ પણ સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદામાં આવા ટોલની કોઈ જોગવાઈ નથી.

અહેવાલ મુજબ જો 20 ટકા ટોલ લાગુ કરવામાં આવે તો પ્રતિ બેરલ તેલના પરિવહન ખર્ચમાં 10થી 26 ડોલર સુધીનો વધારો થઈ શકે છે. વિશ્લેષકોના અંદાજ પ્રમાણે મોટા ઓઈલ ટેન્કર (Oil Tanker) માટે એક જ સફરમાં લગભગ 3 કરોડ ડોલર એટલે કે અંદાજે 290 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ શકે છે.

આ નિર્ણયનો ભારત (India) પર પણ નોંધપાત્ર પ્રભાવ પડી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું અંદાજે 80થી 85 ટકા કાચું તેલ આયાત કરે છે, જેમાંથી આશરે 30 ટકા કાચું તેલ હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે. ઉપરાંત ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 60 ટકા એલપીજી (LPG) આયાત કરે છે, જેમાંથી 90 ટકા હોર્મુઝના માર્ગે આવે છે. જ્યારે આશરે 30 ટકા એલએનજી (LNG) પણ આ જ માર્ગથી દેશમાં પહોંચે છે. જો ટોલ લાગુ કરવામાં આવશે તો ભારતીય તેલ કંપનીઓ માટે આયાત ખર્ચમાં વધારો થઈ શકે છે, જેના કારણે આયાત બિલ વધવાની સાથે દેશમાં તેલ અને ગેસના ભાવ પર પણ અસર પડી શકે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular