Monday, October 13, 2025
HomeNationalઅર્પિતા મુખર્જીના બીજા ઘરમાં નોટોનો ઢગલો, અધધધ… 29 કરોડ રોકડા અને 5...

અર્પિતા મુખર્જીના બીજા ઘરમાં નોટોનો ઢગલો, અધધધ… 29 કરોડ રોકડા અને 5 કિલો સોનું મળ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ બુધવારે, EDએ શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ઘરે દરોડા પાડ્યા હતા. EDને અર્પિતાના આ ઘરેથી નોટોનો ખજાનો મળ્યો છે. EDએ આ ઘર પર લગભગ 18 કલાક દરોડા પાડ્યા હતા, જેમાં 29 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળી આવ્યું હતું. આખી રાત નોટોની ગણતરી ચાલુ રહી હતી. આ ઉપરાંત સોનાના દાગીના અને બિસ્કિટ પણ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ EDએ અર્પિતાના અન્ય એક ઘર પર દરોડા પાડ્યા હતા, જેમાં તપાસ એજન્સી દ્વારા 20.9 કરોડ રૂપિયા રોકડા અને તમામ સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતા મુખર્જીના બંને ફ્લેટમાંથી અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.

આ પહેલા બુધવારે સાંજે તપાસ અધિકારીઓની ટીમ કોલકાતાના બેલઘરિયા વિસ્તારમાં અર્પિતાના ઘરે પહોંચી હતી અને ફ્લેટની ચાવી ન હોવાના કારણે અધિકારીઓ તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. તાળા તોડવા અને સર્ચ ઓપરેશન દરમિયાન સાક્ષીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, અર્પિતા મુખર્જીના આ ઘરમાંથી પણ મોટી રિકવરી જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. બેંકના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને નોટોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય કેટલાક પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. EDને છાજલીઓમાંથી રોકડ પણ મળી આવી હતી.

- Advertisement -

સૂત્રોનું કહેવું છે કે અન્ય ઘરમાંથી પણ બિનહિસાબી નાણાં મળ્યા બાદ નોટો ગણવા માટે ચાર બેંક કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા. 5 કાઉન્ટીંગ મશીન મુકવામાં આવ્યા હતા. અહીં પણ ટોલીગંજમાં અર્પિતાના ઘરની જેમ અહીંના બેલઘરિયા ટાઉન ક્લબ હાઉસ સ્થિત ફ્લેટના વોર્ડરોબમાં નોટોના બંડલ ભરાયા હતા. અહીં નોટોના બંડલ મળવાના સમાચાર બાદ ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી.

પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી હાલમાં 3 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં છે. પાર્થની ધરપકડ બાદ તપાસ એજન્સીના અધિકારીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. શિક્ષણ ભરતી કૌભાંડ અંગે તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. EDનું કહેવું છે કે અર્પિતાના ઘરેથી મળેલી રકમ એજ્યુકેશન રિક્રુટમેન્ટ સ્કેમ દ્વારા કમાયેલી રકમ છે, જે પાર્થ ચેટરજીની છે. જો કે, જ્યારે બંગાળ સરકારના વરિષ્ઠ મંત્રી પાર્થ ચેટર્જીના રાજીનામા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. પાર્થ કહે આની શું જરૂર છે?

કોલકાતાના જોકામાં ESI હોસ્પિટલની બહાર તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સવારે, ચેટર્જી અને તેમની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીને EDની પૂછપરછ પહેલા નિયમિત તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મંત્રીને કડક સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી લગભગ બે કલાક પછી, કેન્દ્રીય એજન્સી તેમને શહેરના સોલ્ટ લેક વિસ્તારમાં આવેલા સિજોઉ સંકુલની ઈડી ઓફિસ લઈ ગઈ હતી. પાર્થ ચેટર્જીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ મંત્રી પદ પરથી રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે, આ સવાલ પર ચેટર્જીએ કહ્યું કે, રાજીનામું આપવાની શું જરૂર છે?

- Advertisement -

EDનું કહેવું છે કે શાળાઓમાં ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં બુધવારે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાજદંગા અને બેલઘરિયા સહિત કેટલીક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે જ્યાં અર્પિતાની મિલકતો મળી આવી છે. ED અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે બેલઘરિયામાં અર્પિતાના કેટલાક ફ્લેટ અને રાજદંગા (દક્ષિણ ભાગમાં) અન્ય ફ્લેટ શોધી કાઢ્યા છે.” અધિકારીઓ ત્યાં શોધ કરી રહ્યા છે

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular