નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે વધુ એક કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. નરોડાના GIDC ફેઝ-2માં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી અકાળે મૃત્યુ થયું છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના નરોડા GIDC ફેઝ 2માં આવેલી આલ્ફા મેટલ નામની કંપનીમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગનો બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરતા કર્મચારી મોહબ્બતસિંહ પરમાર જ્યારે ઓઇલના ભાગ પાસે ગયા ત્યારે કોઈ કારણોસર આગ લાગી હતી. કર્મચારી આગની ઝપેટમાં આવી જતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આગ લાગતાં કર્મચારીઓએ ફાયરબ્રિગેડની ટિમને જાણ કરી હતી.
ફાયર બ્રિગેટની ટિમ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ કર્મચારીનું ઘટના સ્થળે મૃતી થયુ હતું. હાલ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. કર્મચારીનું મોત નિપજતા પોલીસ કાફલો અને FSLની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર એલ્યુમિનિયર પ્રેસર ડાય કાસ્ટિંગ મશીનમાં ઓઇલ ઓવર હિટ થતાં આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.