Saturday, August 29, 2026
HomeGeneralરાજીવ ગાંધીના હત્યારા એ.જી.પેરારીવલન 31 વર્ષ બાદ મુક્ત થશે, સુપ્રિમ કોર્ટે આપી...

રાજીવ ગાંધીના હત્યારા એ.જી.પેરારીવલન 31 વર્ષ બાદ મુક્ત થશે, સુપ્રિમ કોર્ટે આપી મુક્તિ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં સજા કાપી રહેલા દોષી એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૨ હેઠળ મુક્તિ માટે વિશેષાધિકાર હેઠળ ચુકાદો આપ્યો છે. આ મામલે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વચ્ચે દયા અરજીના પેન્ડન્સી પર ટોચની કોર્ટે મોટું પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે પેરારીવલનની તેમની મુક્તિની અરજીને માન્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય રાજ્યપાલને બંધનકર્તા છે. બધા દોષીતો માટે છૂટવાનો રસ્તો ખુલ્લો છે.



પેરારીવલન હાલ જામીન પર બહાર છે. તેણે તેની મુક્તિ માટે અરજી દાખલ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે 31 વર્ષથી જેલમાં છે અને તેને છોડી દેવો જોઈએ. વર્ષ 2008માં તમિલનાડુ કેબિનેટે તેમને છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રાજ્યપાલે આ મામલો રાષ્ટ્રપતિને મોકલી દીધો હતો, ત્યારથી તેમની મુક્તિનો મામલો પેન્ડિંગ હતો. સુપ્રીમ કોર્ટે ૧૦ મેના રોજ આ કેસની સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો.

આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વારંવાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કાયદાકીય અને બંધારણીય પ્રશ્ન એ છે કે શું રાજ્યપાલ કેબિનેટની સંમતિની વિરુદ્ધ જઈ શકે છે. આ એક ગંભીર મુદ્દો છે. આની ફેડરલ માળખા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ ફેડરલ સિસ્ટમનો નાશ કરી શકે છે. કાયદાથી ઉપર કોઈ નથી.



સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે “સરકારે અમારા સૂચનનું પાલન કરવું જોઈએ, નહીં તો કોર્ટ આદેશ આપશે કારણ કે જો સરકાર કાયદાનું પાલન નહીં કરે તો કોર્ટ આંખો બંધ કરીને બેસી શકે નહીં.” અમારી નજરમાં કાયદાથી ઉપર કોઈ નથી.” સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એ પણ પૂછ્યું હતું કે શું રાજ્યના રાજ્યપાલ પાસે અધિકાર છે કે તેઓ નિર્ણય લીધા વિના રાજ્ય મંત્રીમંડળ દ્વારા મોકલવામાં આવેલી ભલામણને રાષ્ટ્રપતિને મોકલી શકે છે?

- Advertisement -

એજી પેરારીવલનને પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેઓ આજીવન કેદની સજા કાપી રહ્યા છે. પેરારીવલનના વકીલે દલીલ કરી હતી કે તેણે 36 વર્ષ જેલમાં વિતાવ્યા છે, તેનું વર્તન યોગ્ય છે અને તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે. સપ્ટેમ્બર 2018 માં, એઆઈએડીએમકેના તત્કાલીન મંત્રીમંડળે એક ઠરાવ પસાર કર્યો હતો અને તત્કાલીન રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને તેની ભલામણ મોકલી હતી કે પેરારીવલન સહિત તમામ સાત આજીવન દોષિતોને અકાળે મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે, પરંતુ રાજ્યપાલે નિર્ણય ન લેતા પેરારિવલને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.






સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular