નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાણે અભેરાઈ પર ચઢાવવા ખુદ નેતાઓ જ સીડીઓ લઈને દોડતા હોય તેવો માહોલ આજે જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં કાયદા અને વ્યવસ્થાના પાઠ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી લોકોને આપતા હોય છે, જોકે તેમની વિચારધારાથી સાવ જુદા જ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા ભાજપ સભ્યો અથવા તેમની વિચારધારાથી ખુદ તેઓ જ પ્રભાવિત ન હોય તેવો માહોલ જોવા મળ્યો છે. સુરમતમાં વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા આપ કાર્યકરો પર ભાજપના સભ્યો તૂટી પડ્યા હતા. જોકે તે સમયે પોલીસ ત્યાં હાજર હોવા છત્તાં ખાખીની પણ તેમણે કદર કરી નહોતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી થર્ડ ડીગ્રી આપવામાં આવી હતી. આ ઘટના જ્યારે બની ત્યારે સુરતમાં તાપમાન પણ 45 ડિગ્રી હતું.
ગુજરાત પોલીસની હાજરીમાં ભાજપના ગુંડાઓએ આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકર્તાઓ પર કરેલ હુમલો ગાંધી અને સરદારના ગરવી ગુજરાત પર કલંકરૂપ છે. સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, ગુજરાતની ભ્રષ્ટ તાનાશાહ ભાજપ સરકાર કાયદોવ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ ગઈ છે.!!#ગુજરાતમા_ભાજપનું_ગુંડારાજ pic.twitter.com/OtyU1j3Idq
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 2, 2022
સુરત મહાનગરપાલિકામાં વિરોધ અને સભાગૃહમાં ધરણા પછી આમ આદમી પાર્ટી દ્વારા ઘણા આક્ષેપો કરાયા હતા. ગતરોજ રવિવારે આપના નગરસેવકોને મનપાના સભા ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જ્યારે આજરોજ સોમવારે ભર બપોરે ભાજપના કાર્યકરો દ્વારા પોલીસની હાજરીમાં આપ (આમ આદમી પાર્ટી)ના નેતા અને કાર્યકરોને માર માર્યાના આક્ષેપ સામે આવ્યા છે.
લોકશાહીનું ચીરહરણ કરતી ભાજપ સરકાર..! #ગુજરાતમા_ભાજપનું_ગુંડારાજ pic.twitter.com/7LJjKNA7xw
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 2, 2022
સુરત મહાનગરપાલિકામાં સતત 20 કલાક સુધી સભાગૃહમાં ધરણા કરી આપના નગરસેવકોએ સભામાં બોલવાની તક માંગી હતી. જોકે ધરણા પર રહેલા નગરસેવકોને માર્શલે સભાગૃહ બહાર કાઢ્યા હતા. જ્યાં બહાર આવ્યા પછી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, તે વખતે એક મહિલા કોર્પોરેટરના કપડા ફાડી નાખ્યા અને એક કોર્પોરેટરનું ગળુ દબાવ્યાના આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. આ મામલો શમ્યો નહતો ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિતના નેતા અને કાર્યકરોને માર માર્યાની ઘટનાના આક્ષેપ લાગ્યા છે. જે ઘટનાના વીડિયો #ગુજરાતમા_ભાજપનું_ગુંડારાજ સાથે આપ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે.
શાંતિપૂર્ણ ધરણા કરી રહેલ 'આપ' કાર્યકરો પર પોલીસ અને મીડિયાની હાજરીમાં ગુંડાઓ દ્વારા કરેલ આ કૃત્યથી સાબિત થાય છે કે, મુદ્દાની રાજનીતિથી 'આમ આદમી પાર્ટી' સામે હારી ગયેલ ગુજરાત ભાજપ હવે ગુંડાઓનો સહારે છે.#ગુજરાતમાં_ભાજપનું_ગુંડારાજ pic.twitter.com/Gmyne75MXn
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 2, 2022
આપ દ્વારા રવિવારની ઘટનાને ધ્યાને રાખી આજે ભાજપના કાર્યાલય ખાતે વિરોધ નોંધાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત આપ આગળ વધી રહ્યું હતું ત્યારે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે તાપમાન વધી ગયું હતું. જેમાં આપના નેતા ગોપાલ ઈટાલીયા સહિતના કાર્યકરોને માર માર્યાની બુમો ઉઠી છે. આપના ભાજપ કાર્યાલય પર વિરોધ માટે જતા કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા. જોકે કેટલાક પહોંચી ગયા હતા જ્યાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચેલા કાર્યકરોને પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરોએ ફટકાર્યા હોવાનું કહેવા સાથે આપ દ્વારા #ગુજરાતમા_ભાજપનું_ગુંડારાજ હેશ ટેગ સાથે વીડિયો પણ શેર કરાયા છે. બંને પક્ષના કાર્યકરોના હિંસાત્મક વર્તન દરમિયાન ભાજપના કાર્યકરો ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા પોકારતા હતા તેવું આપના નેતાઓનું કહેવું છે.
આ કાર્યકર્તા નો શું વાંક છે? શા માટે આને આવો ઢોર માર મારવામાં આવ્યો? એ પણ બીજેપી ના ગુંડા કાર્યકર્તાઓ દ્વારા. પોલીસ માજી બુટલેગર ના ઇશારે મુખબીર બની ને જોતી રહી.
શું આવા અમાનવીય દમન માટે આપડે ભાજપ ને મત આપ્યો હતો? ક્યાં સુધી આવું સહન કરવું પડશે?#ગુજરાતમાં_ભાજપનું_ગુંડારાજ pic.twitter.com/1fj4WJJsWO— jignesh sorathiya (@sorathiyajk) May 2, 2022
આ ઘર્ષણ અને ગરમા ગરમી વચ્ચે જોકે પોલીસના હાથ પગ ઠરી ગયા હતા કારણ કે કાયદો વ્યવસ્થા સાચવી શકાય તે માટેના બધા જ પ્રયત્નો ફેઈલ થતા હતા. પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે તે પહેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને ગોપાલ ઈટાલિયા સહિત ઘણાના કપડાં ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ આમ આદમી પાર્ટીનો એક કાર્યકર જેને માર મારવામાં આવતા સાવ બેસુદ થઈ ગયો હતો. હવે આ મારામારીનો મુદ્દો એક નવો વિવાદ બને તેની સંપૂર્ણ શક્યતા છે.
સત્તાના નશામાં ચકચૂર તાનાશાહ પાટીલ-સંઘવી રાજમાં ભાજપના ગુંડાઓનો આમ આદમી પર આતંક!
જનતાના હક અધિકારની વાત કરતા 'આપ' ડરશે નહિ.
ભ્રષ્ટ તાનાશાહ સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી ઝુકશે નહીં. pic.twitter.com/Xpb3RkxrRK— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 2, 2022
કરોડો ગુજરાતીઓના હક અને અધિકાર માટે ભ્રષ્ટાચારી ભાજપ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર 'આપ' ગુજરાત પ્રદેશ અધ્યક્ષ @Gopal_Italia સહિત કાર્યકર્તાઓની તાનાશાહ સરકાર દ્વારા કરવામાં આવી અટકાયત
ભ્રષ્ટાચારી સરકાર વિરુદ્ધ ગુજરાતના દરેક નાગરિકની પડખે છે 'આમ આદમી પાર્ટી' pic.twitter.com/vqabAfpx9i
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 2, 2022
શું ગાંધીના અને સરદારના ગુજરાતમાં અન્યાય સામે અવાજ ઉઠાવવો ગુનો છે.! :-@GauriDesaiAAP pic.twitter.com/vIKcPigRk4
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 2, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











