Saturday, October 25, 2025
HomeGujaratપાવાગઢમાં ગોઝારી દુર્ઘટના: માલસામાન માટેનો ગુડ્સ રોપ-વે તૂટ્યો, 6 લોકોના કમકમાટીભર્યા મોત

પાવાગઢમાં ગોઝારી દુર્ઘટના: માલસામાન માટેનો ગુડ્સ રોપ-વે તૂટ્યો, 6 લોકોના કમકમાટીભર્યા મોત

- Advertisement -

મુખ્ય મુદ્દા:

  • પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બનેલી અત્યંત દુઃખદ ઘટના.
  • બાંધકામ માટે માલસામાન લઈ જતો ગુડ્સ રોપ-વેનો તાર તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ.
  • ઘટનામાં ૬ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી, મૃતદેહોને PM માટે હોસ્પિટલ ખસેડાયા.
  • ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો.

નવજીવન ન્યૂઝ.પંચમહાલ:
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેથી એક અત્યંત માઠા અને હચમચાવી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે. પાવાગઢ ડુંગર પર ચાલી રહેલા બાંધકામના કામ માટે ઉપયોગમાં લેવાતો માલવાહક (ગુડ્સ) રોપ-વે અચાનક તૂટી પડતા ૬ લોકોના મોત નીપજ્યા છે. આ ગોઝારી દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -

કેવી રીતે બની દુર્ઘટના?
પ્રાથમિક માહિતી અનુસાર, આ માલવાહક રોપ-વેનો ઉપયોગ મુખ્યત્વે મંદિરના ચાલી રહેલા બાંધકામના કામકાજ માટે માલસામાનની હેરફેર કરવા માટે થતો હતો. જોકે, તેનો ઉપયોગ મંદિર ટ્રસ્ટના કામ સાથે સંકળાયેલા લોકો અને વિશેષ મહેમાનો માટે પણ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. આજે અચાનક જ રોપ-વેનો મુખ્ય તાર તૂટી જતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું
દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ વિભાગ અને અન્ય બચાવ ટીમો સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયો હતો. હાલ ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત પર ફરી દુર્ઘટનાનું ગ્રહણ
છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં અનેક મોટી દુર્ઘટનાઓ બની છે જેણે રાજ્યને હચમચાવી દીધું છે.

- Advertisement -
  • મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના (ઓક્ટોબર 2022): મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેણે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો.
  • રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ (મે 2024): દર્દનાક મોત થયા હતા.
  • નવસારી બસ અકસ્માત (ડિસેમ્બર 2022): નવસારીના વેસ્મા ગામ પાસે બસ અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત થયા હતા.
  • ગંભીરા બ્રીજ અકસ્માત (જુલાઈ 2025): આણંદ ખાતેનો ગંભીરા બ્રિજ અચાનક એક ભાગથી તૂટી જતા 8 વાહનો પાણીમાં ખાબક્યા હતા જેમાં 15 જેટલા લોકોના મોત થયા હતા.

આવી ઘટનાઓ વારંવાર બનતા રાજ્યમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓની જાળવણી પર ગંભીર સવાલો ઉભા થાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular