નવજીવન ન્યૂઝ. કર્ણાટક: કર્ણાટકમાં હિજાબ વિવાદની તરફેણમાં અરજી કરનાર બે યુવતીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ કોલેજથી પરત ફર્યા હતા. આજે પણ તેમણે 12માંની બોર્ડની પરીક્ષામાં હિજાબ પહેરીને બેસવાની મંજૂરી માંગી હતી, જે બાદ બંને યુવતીઓ પરીક્ષા કેન્દ્ર છોડીને જતી રહી હતી. આલિયા અસાદી અને રેશમ ઉડુપીની વિદ્યોદય પીયુ કોલેજમાં પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ લીધી હતી અને બુરખો પહેરીને પરીક્ષા આપવા આવ્યા હતા. તેમણે કોલેજના સુપરવાઇઝરો અને પ્રિન્સિપાલને લગભગ 45 મિનિટ સુધી વિનંતી કરી હતી, પરંતુ આખરે રાજ્ય સરકારના પ્રતિબંધને યથાવત રાખતા કોર્ટના આદેશ બાદ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ બંને પરીક્ષા આપ્યા વગર ચૂપચાપ કેમ્પસની બહાર નીકળતા જોવા મળ્યા હતા.
કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધ સામેની લડાઈમાં સૌથી આગળ રહેલી ૧૭ વર્ષની આ યુવતીએ આજે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને નવી અપીલ કરતાં કહ્યું હતું કે, તમારી પાસે હજી પણ અમારું ભવિષ્ય બરબાદ થતું અટકાવવાની તક છે. આ અપીલમાં રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયન આલિયા અસાદીએ જણાવ્યું હતું કે, હિજાબ કે હેડસ્કાર્ફ પરના પ્રતિબંધને કારણે આ મહિનાના અંતમાં યોજાનારી પ્રિ-યુનિવર્સિટીની પરીક્ષા આપવા માગતી ઘણી વિદ્યાર્થિનીઓને અસર થશે. આલિયા અસાદીએ અરજદારોમાંની એક છે જેમણે રાજ્યના હિજાબ પ્રતિબંધ સામે કોર્ટમાં અરજી કરી છે. હિજાબ પ્રતિબંધને યથાવત રાખતા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયથી નિરાશ થયા બાદ હવે તેમણે સુપ્રીમ કોર્ટ પર પોતાની આશાઓ ઠોકી દીધી છે.
તાજેતરમાં જ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિજાબ પહેરવો એ ઈસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી. વિદ્યાર્થીઓ ગણવેશ પહેરવાની ના પાડી શકતા નથી. ગણવેશ એ મૂળભૂત અધિકારો પર વાજબી પ્રતિબંધ છે. સાથે જ હાઈકોર્ટે વિદ્યાર્થીઓની અરજી ફગાવી દીધી હતી.
કર્ણાટક સરકારે ૫ ફેબ્રુઆરીએ શાળા અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામે કર્ણાટકના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. બાદમાં આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. 10 ફેબ્રુઆરીના રોજ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ પ્રકારના ધાર્મિક પોષાક પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પછી, રાજ્યના ઘણા ભાગોમાં, હિજાબ પહેરેલી છોકરીઓ અને શિક્ષકોને શાળા અને કોલેજોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી કર્ણાટક હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











