Sunday, October 26, 2025
HomeGujaratGandhinagarલાઉડ સ્પીકર પર થતી અઝાન મામલે હાઈકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી

લાઉડ સ્પીકર પર થતી અઝાન મામલે હાઈકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Azan Row : રાજ્યમાં લાઉડસ્પીકરમાં (Loudspeaker) થતી અઝાન મુદ્દે (Azan Row) ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) જાહેર હિતની અરજી કરવામાં આવી છે. થોડા સમય આગાઉ બજરંગ દળે (Bajrang Dal) પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સમ્રગ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ અરજીમાં બજરંગ દળે પોતે પક્ષકાર બની અરજી કરી હતી અને તે અરજી ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય પણ રાખી હતી.

લાઉડ સ્પિકર પર અઝાનનો મામલો ફરી ગુજરાતમાં ચર્ચામાં આવ્યો છે. કારણ કે ગુજરાત હાઇકોર્ટમાં આજે વધુ એક અઝાન મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેને લઈ હાઈકોર્ટ રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે અને અત્યાર સુધીમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને કેવા પગલા ભરવામાં આવ્યા તે અંગે 12 એપ્રિલ સુધી રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યા છે. અરજદારે લાઉડસ્પીકરમાં થતી અઝાન મુદ્દે ધ્વનિ પ્રદૂષણ થતું હોવાનુ ઉલ્લેખ કર્યો હતો માટે મસ્જીદના લાઉડસ્પીકર બંધ કરવામાં આવે તે પ્રકારની અરજી હાઇકોર્ટમાં કરી છે. જેને લઇ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને 12 એપ્રિલ સુધીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને એફિડેવિડ કરવા નિર્દેશ કર્યા છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગાંધીનગર ખાતેથી એક યુવક દ્વારા લાઉડ સ્પીકરમાં થતી અઝાન મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદારે અરજીમાં કહ્યું હતું કે 5 સમયની થતી અઝાનથી લોકોને તકલીફ પડે છે અને પોતાને પણ તકલીફ થાય છે. જોકે અરજી બાદ કોઈ કારણોસર અરજદારે અરજી પાછી ખેંચી લીધી હતી. પરંતુ આ મામલો બજરંગ દળના ધ્યાનમાં આવતા બજરંગ દંળે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી લાઉડસ્પીકર પ્રતિબંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular