Thursday, September 11, 2025
HomeNationalNIAની નિષ્ફળતાઃ 16 વર્ષ પછી માલેગાવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ...

NIAની નિષ્ફળતાઃ 16 વર્ષ પછી માલેગાવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપી નિર્દોષ, કોર્ટે કહ્યું – ‘આતંકવાદનો ધર્મ નથી’

- Advertisement -

મુખ્ય હાઇલાઇટ્સ:

  • મુંબઈની વિશેષ NIA કોર્ટે 2008ના માલેગાવ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપ્યો.
  • સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા.
  • કોર્ટે કહ્યું: “આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો.”
  • પીડિત પરિવારોને વળતર ચૂકવવાનો આદેશ.

મુંબઈ: દેશભરમાં ચકચાર મચાવનાર 2008ના માલેગાવ બોમ્બ વિસ્ફોટ કેસમાં (Malegaon Blast Case) 16 વર્ષની લાંબી કાયદાકીય લડતનો અંત આવ્યો છે. મુંબઈની વિશેષ NIA કોર્ટે મંગળવારે ઐતિહાસિક ચુકાદો આપતા મુખ્ય આરોપી અને ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. જેથી ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સી આરોપો ઘડ્યા પછી આરોપો સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડી છે.

કોણ કોણ થયું નિર્દોષ?

આ કેસમાં નિર્દોષ જાહેર થયેલા અન્ય આરોપીઓમાં મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી ઉર્ફે શંકરાચાર્ય અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે. કોર્ટે તેમને હત્યા, ગુનાહિત ષડયંત્ર અને આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળના તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે.

- Advertisement -

ફરિયાદી પક્ષ પુરાવા આપવામાં નિષ્ફળ

વિશેષ ન્યાયાધીશ એ.કે. લાહોટીએ પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે નોંધ્યું કે, ફરિયાદી પક્ષ આરોપીઓ વિરુદ્ધ મજબૂત અને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. કોર્ટે કહ્યું કે, “આરોપીઓ સામે માત્ર શંકા હોવી એ તેમને દોષિત ઠેરવવા માટે પૂરતું નથી.”

કોર્ટે એ પણ અવલોકન કર્યું કે, ફરિયાદી પક્ષ એ તો સાબિત કરી શક્યું કે માલેગાવમાં વિસ્ફોટ થયો હતો, પરંતુ તે વિસ્ફોટ આરોપીઓ સાથે જોડાયેલી મોટરસાઇકલમાં જ થયો હતો તે સાબિત કરી શક્યું નથી. વધુમાં, કોર્ટે ઘાયલોની સંખ્યા 101 નહીં પરંતુ 95 હોવાનું તારણ કાઢ્યું અને કેટલાક મેડિકલ સર્ટિફિકેટમાં છેડછાડ થઈ હોવાની પણ નોંધ લીધી.

આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો: કોર્ટ

ચુકાદામાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું કે, “આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, કારણ કે કોઈ પણ ધર્મ હિંસાનું સમર્થન કરતો નથી.” અદાલત માત્ર ધારણા કે નૈતિક પુરાવાના આધારે કોઈને દોષી ઠેરવી શકે નહીં, તે માટે મજબૂત પુરાવા હોવા અનિવાર્ય છે.

- Advertisement -

પીડિતોને મળશે વળતર

કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવતા વિસ્ફોટમાં જીવ ગુમાવનાર 6 લોકોના પરિવારોને ₹2-2 લાખ અને તમામ ઘાયલોને ₹50,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

શું હતો 2008નો માલેગાવ વિસ્ફોટ?

ઉલ્લેખનીય છે કે, 29 સપ્ટેમ્બર 2008ના રોજ, રમઝાનના પવિત્ર મહિનામાં, માલેગાવના મુસ્લિમ બહુમતીવાળા ભીકુ ચોક વિસ્તારમાં એક મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના કરુણ મોત થયા હતા અને 95થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ શરૂઆતમાં મહારાષ્ટ્ર ATS દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં NIAને સોંપવામાં આવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular