Wednesday, October 8, 2025
HomeGeneral'સર' જાડેજાને મળી CSKની કેપ્ટન્સી, જૂના પાર્ટનર સુરેશ રૈનાએ આપી પ્રતિક્રિયા, ભાવુક...

‘સર’ જાડેજાને મળી CSKની કેપ્ટન્સી, જૂના પાર્ટનર સુરેશ રૈનાએ આપી પ્રતિક્રિયા, ભાવુક થઈને કહી દિલને સ્પર્શી જાય તેવી વાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022) પહેલા ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની કેપ્ટનશીપ રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. ધોનીએ આવું કર્યા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે તેના પર જૂના સાથી સુરેશ રૈનાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રૈનાએ સીએસકેના આ નિર્ણય પર ટ્વિટ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. રૈનાએ ટ્વિટ કર્યું, “મારા ભાઈ માટે રોમાંચિત છું, અમે બંને જે ફ્રેન્ચાઇઝીમાં ઉછર્યા છીએ તેની લગામ સંભાળવા માટે હું આનાથી વધુ સારી રીતે કોઈના વિશે વિચારી શકતો નથી. ઓલ ધ બેસ્ટ જાડેજા. આ એક રોમાંચક તબક્કો છે અને મને ખાતરી છે કે તમે બધી અપેક્ષાઓ પર ખરા ઉતરશો. #csk #WhistlePodu”


આઈપીએલની રીટેન્શન પ્રક્રિયા દરમિયાન ૧૫ કરોડ રૂપિયા આપીને સીએસકે ફ્રેન્ચાઇઝીએ જાડેજાને રીટેન કર્યો હતો. સાથે જ ધોનીને 12 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. હવે 14 વર્ષ બાદ સીએસકેની કપ્તાની ધોની સિવાય અન્ય કોઈ ખેલાડી કરવા જઈ રહ્યા છે. ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે ચાર વખત આઈપીએલનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ગત સિઝનમાં સીએસકેએ માહીની કેપ્ટનશિપમાં ફાઇનલમાં આઇપીએલનો ખિતાબ જીત્યો હતો.



ધોનીએ 204 મેચમાં સીએસકેની કેપ્ટનશિપ કરી છે, જેમાં ટીમે 121 મેચ જીતી છે. ધોનીની કેપ્ટનશિપમાં સીએસકેને 82 મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં સીએસકે 4 વખત આઈપીએલનો ખિતાબ અને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. આઈપીએલના ઈતિહાસમાં રોહિત શર્મા, ગંભીર અને ધોની જ એવા 3 કેપ્ટન છે જેમની કેપ્ટન્સીમાં ટીમે એકથી વધુ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

- Advertisement -

જાડેજાને સીએસકેનો કેપ્ટન બનાવવા અંગે વાત કરતા ફ્રેન્ચાઈઝીના સીઈઓએ કહ્યું કે, “રવિન્દ્ર જાડેજા કદાચ હાલનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે, તે ટીમ સાથે રહ્યો છે અને તે ટીમની સંસ્કૃતિ જાણે છે, તે કેપ્ટનશિપ સંભાળવા માટે સક્ષમ છે. ધોની ટીમમાં યથાવત્ રહેતાં જાડેજા પાસે હંમેશા માર્ગદર્શક બળ રહેશે. મને લાગે છે કે તે એક સારું સંયોજન હશે.”




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular