નવજીવન ન્યૂઝ. નવસારી: નવસારીમાં ગઇકાલે લગ્ન પ્રસંગ દરમિયાન મળેલી ગિફ્ટને ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે જ વરરાજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત આ બનાવમાં પરિવારનું એક બાળક પણ ઇજાગ્રસ્ત થયું હતું. સમગ્ર મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા ગિફ્ટ બ્લાસ્ટ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.
નવસારીમાં ગીફ્ટમાં બ્લાસ્ટનો મામલે રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનનું પત્રકાર પરિષદ યોજી સમગ્ર બનાવ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, લગ્ન પ્રસંગમાં ગિફ્ટ મોકલનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજેશ ધનસુખ પટેલે પૂર્વ પ્રેમિકાને નુકસાન પહોંચાડવાના માટે થઈને લગ્ન પ્રસંગમાં આ ગિફ્ટ આપવામાં આવી હતી. આરોપીએ ગિફ્ટમાં ટેડીબીયરની અંદર ડિટોનિયર માઇન ફિટ કરી પોતાની પ્રેમીકાને મારવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ આ ગિફ્ટ ભૂલથી વરરાજાએ ખોલી નાખતા બ્લાસ્ટ થયો હતો અને તે ગંભીર રીતે ઘવાયો હતો.
ગિફ્ટ બ્લાસ્ટ કેસમાં રાજેશની સાથે મનોજ પટેલની પણ પોલીસે અટકાયત કરી છે. રાજેશેએ અગાઉ પ્રેમિકા જાગૃતિને વોટ્સેપ પર મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જો કે રાજેશ આ હદ્દ સુધી પહોંચી જશે તેનો પરિવારને અંદાજો ન હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.