Thursday, October 16, 2025
HomeGeneralગૃહમંત્રી અમિત શાહ સાથે IAS અધિકારીનો ફોટો શેર કરતાં ફિલ્મ નિર્માતા ફસાયા,...

ગૃહમંત્રી અમિત શાહ સાથે IAS અધિકારીનો ફોટો શેર કરતાં ફિલ્મ નિર્માતા ફસાયા, પોલીસે કેસ દાખલ કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત પોલીસે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે ઝારખંડ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી પૂજા સિંઘલ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાનનો ફોટો શેર કરવા બદલ કેસ નોંધ્યો છે. આ IASની તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.



અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ડિટેક્શનના પોલીસ અધિક્ષક એચએમ વ્યાસે જણાવ્યું હતું કે 46 વર્ષીય દાસે 8 મેના રોજ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટોગ્રાફ શેર કર્યો હતો જેમાં શાહ અને સિંઘલ પાંચ વર્ષ પહેલા યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. દાસે લોકોને ગેરમાર્ગે દોરવા અને મંત્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ટ્વિટ કર્યું હતું.

દાસ સામે 17 માર્ચે તેના ફેસબુક એકાઉન્ટ પર એક મોર્ફ કરેલી તસવીર શેર કરીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ પણ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં એક મહિલા ત્રિરંગો પહેરેલી જોવા મળે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. દાસ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 469 (છેતરપિંડી) અને 8 મેના રોજ ટ્વિટર પર શેર કરાયેલ ફોટાના સંબંધમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ફેસબુક પર શેર કરાયેલ ફોટાના સંબંધમાં દાસ વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ પ્રાઇડ એક્ટ’ અને આઈટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ના ભંડોળની કથિત ઉચાપત અને અન્ય શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના સંબંધમાં ઝારખંડના ખાણકામ સચિવ પૂજા સિંઘલની ખુંટીમાં ધરપકડ કરી હતી. દાસે સ્વરા ભાસ્કર, સંજય મિશ્રા અને પંકજ ત્રિપાઠી અભિનીત 2017ની ફિલ્મ અનારકલી ઓફ આરાહનું દિગ્દર્શન કર્યું હતું.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular