Thursday, March 23, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
No Result
View All Result
Home Series Dying Declaration

ડાઈંગ ડેક્લેરેશનઃ મેં જે મુસ્લિમોના જીવ બચાવ્યા તેમણે જ હવે મારી વિરૂધ્ધ જુબાની આપી રહ્યા હતા

Prashant Dayal by Prashant Dayal
September 3, 2022
in Dying Declaration, Gujarat, Link In Bio, Navajivan Corner, Prashant Dayal, Series, What's new by Prashant Dayal
Reading Time: 1 min read
0
ડાઈંગ ડેક્લેરેશનઃ મેં જે મુસ્લિમોના જીવ બચાવ્યા તેમણે જ હવે મારી વિરૂધ્ધ જુબાની આપી રહ્યા હતા
863
SHARES
9.6k
VIEWS
Share on FacebookShare on TwitterWhatsappTelegram

પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-8): CBI દ્વારા કુલ 15 સાક્ષીઓને મુંબઈની કોર્ટમાં રજુ કરી મેજીસ્ટ્રેટ સામે નિવેદન નોંધાવ્યા હતા, જેમાં એક સાક્ષી હતો ફારૂક પીંજારા, તેના સાક્ષી નિવેદન પ્રમાણે તા 28 ફેબ્રુઆરીના રોજ તે રણધીકપુરમાં તેની માસીના ઘરે હતો. સ્થિતિ બગડતા બધા ભાગી ગયા પણ તેની તબીયત સારી નહીં હોવાને કારણે તે ભાગી શકયો ન હતો, બપોરના એક વાગ્યે તેણે પોલીસની જીપની સાયરન સાંભળી, તેને લાગ્યું કે મદદ મળશે એટલે તેણે ઘરની બહાર આવી જોયું તો સામે જ આરોપી રાજુ સોનીની દુકાન પાસે પોલીસની જીપ ઉભી હતી. તેની ઉપર લાલ લાઈટ ચાલુ હતી, ત્યાં રહેલા માણસો પોલીસ સાથે મુસ્લિમોને મારવાની વાત કરતા હતા, પણ પોલીસ જોઈ મેં ત્યાં જવાની હિંમત કરી અને પોલીસને કહ્યું હું મુસ્લિમ છું મારી મદદ કરો. તો PSIએ કહ્યું બચવુ હોય તો અહિયાંથી ભાગી જા, ત્યારે મેં PSIની નેમ પ્લેટ વાંચી તેની ઉપર આઈ એસ સૈયદ લખ્યું હતું અને તેમની બાજુમાં રણધીકપુર આઉટ પોસ્ટના જમાદાર નરપતસિંહ ઊભા હતા.

પોલીસ અધિકારી મને બચાવવાની ના પાડતા હું ત્યાંથી ભાગ્યો અને ગામના પાદરમાં માતાજીના મંદિરમાં ગયો જ્યાંથી મે કંકુ લઈ માથે તીલક કર્યું જેથી મને કોઈ મુસ્લિમ માને નહીં અને ત્યાંથી ભાગી નિકળી ગયો હતો. હવે ફારૂક પીંજારા ખોટું બોલી રહ્યો હતો. તેનો મારી પાસે પુરાવો હતો, મને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બનાવના દિવસે 12-30 વાગે લીમખેડા જવાનો આદેશ મળ્યો હતો જેની નોંધ હતી. મેસેજ મળ્યાના એક કલાક બાદ હું મારા ડ્રાઈવર અને ઓપરેટર સાથે 13-30 વાગે ફતેપુરથી લીમખેડા જવા નિકળ્યો ત્યારે પણ મેં કંટ્રોલમાં નોંધ કરાવી હતી. લીમખેડા-ફતેપુરનું અંતર 60 કિલોમીટરનું છે. અમે ચાર વાગે રણધીકપુર પહોંચ્યા ત્યારે મને કંટ્રોલ રૂમ દ્વારા ત્યાં જ રોકાઈ જવાનો આદેશ આપાયો હતો. આમ હું જ્યારે ચાર વાગે રણધીકપુર પહોંચ્યો તો મને ફારૂક પીંજારા એક વાગે કેવી રીતે મળ્યો હોય. આ ઉપરાંત ફારૂક પોતે રણધીકપુરનો નથી તો આઉટ પોસ્ટના જમાદાર નરપતને નામ અને ચહેરાથી કેવી રીતે ઓળખી શકે.

ફારૂકના દાવા પ્રમાણે તેણે પોલીસની જીપ જોઈ, તેણે સાયરન સાંભળી અને તેની ઉપર લાલ લાઈટ પણ ચાલુ હતી, પરંતુ હું ફતેપુરથી નિકળ્યો ત્યારે જીપમાં નહીં પણ મીનીબસ પ્રકારની મોબાઈલ વાન હતી. જેની ઉપર લાઈટ પણ નથી અને તેમાં સાયરન પણ નથી. આમ ફારૂક એક પછી એક ખોટા પુરાવા આપી રહ્યો હતો. CBIની ઈચ્છા પ્રમાણે અને CBIએ તૈયાર કરેલા નિવેદન સાક્ષી તરીકે મુકવામાં આવી રહ્યા હતા. અહિયાં વાત માત્ર ફારૂકની નથી મેં જેમને બચાવ્યા તેઓ પણ મારી વિરૂધ્ધ જુબાની આપતા હતા, એટલુ જ નહીં જેમણે મુસ્લિમોને બચાવવામાં મદદ કરી તેમને પણ બક્ષ્યા ન હતા. 28મીએ સ્થિતિ બગડતા રણધીકપુરના ગોવીંદ નાવી અને ચતુર નાવીએ અ્બ્દુલ સત્તાર સહિત 12 મુસ્લિમોને પોતાના ઘરમાં સંતાડી તેમનો જીવ બચાવ્યો હતો અને આ તમામ મુસ્લિમોની જમવાની વ્યવસ્થા પણ કરી હતી. બહારની સ્થિતિ એટલી ખરાબ હતી કે સંબંધે કાકા ભત્રીજા થતા નાવી તેમને પોતાના ઘરમાંથી કાઢી બહાર સલામત સ્થળે મોકલી શકે તેવો અવકાશ ન હતો.

નાવી પરિવારે આ 12 મુસ્લિમોને તા 4 માર્ચ સુધી સાચવ્યા હતા. આમ આટલા દિવસો સુધી મુસ્લિમોને તેમણે આશ્રય આપ્યો છે તેવી જાણ ગામ લોકોને થઈ જતા ગામના ટોળા નાવીના ઘરની સામે આવી ગયા હતા. તેઓ નાવી પાસે મુસ્લિમોને સોંપી દેવાની માગણી કરી રહ્યા હતા. આ ટોળુ નાવી પરિવારે આશ્રય આપેલા મુસ્લિમોને મારી નાખવા માગતુ હતું, ગોવીંદ નાવીને લાગ્યું કે સ્થિતિ તેમની હાથ બહાર જઈ રહી છે ત્યારે તેમણે પોલીસની મદદ માગી એટલે હું મોબાઈલ વાન સાથે ત્યાં પહોંચ્યો ભીડ વધારે હતી અને અમે વાનમાં ત્રણ પોલીસ વાળા જ હતા, એટલે મેં ભીડની પાછળ પોલીસ વાન દોડાવી ભીડને દુર કરી ત્યાર પછી અબ્દુલ સત્તાર સહિત તમામને પોલીસ વાનમાં બેસાડી દુધીયા જતા રસ્તા ઉપર સલામત સ્થળે લઈ ગયો હતો. આ તમામ જ્યારે પોલીસવાનમાંથી ઉતર્યા ત્યારે મારા પગ પકડી જીવ બચાવવા માટે આભાર માન્યો હતો. તે અબ્દુલ સત્તાર હવે CBIનો સાક્ષી થઈ ગયો હતો. તેમણે પોલીસ સામે જ નહીં પણ આશ્રય આપનાર ગોવીંદ અને ચતુર વિરૂધ્ધ પણ નિવેદન આપ્યું જેના કારણે તેઓ આરોપી થઈ ગયા હતા.

અમે જેલમાં હોવાને કારણે બીજી અનેક સમસ્યાએ વધી રહી હતી, મારી મોટી દીકરીનું લગ્ન તો થઈ ગયુ હતું, પણ બીજી બે દીકરી અને દિકરો ભણતા હતા. હું જેલમાં ગયો ત્યારે મારો દિકરો ધોરણ 10માં ભણતો હતો, ઘરની સ્થિતિ ખરાબ થઈ જતા તેણે ભણવાનું છોડી નોકરી કરવાની શરૂઆત કરી હતી. જ્યારે ડૉ અરૂણ અને ડૉ સંગીતા હજી પ્રોબેશન ઉપર હોવાને કારણે તેમનો તો પગાર જ બંધ કરી દેવામાં આવ્યો હતો. ડૉ સંગીતા માનસીક રોગના દર્દી થઈ ગયા હતા. ટીવી ઉપર કોઈને હાથકડી બાંધેલો જુવે એટલે માનસીક સંમતુલન ખોઈ બેસતા હતા. આ જ પ્રકારે તમામ પોલીસ અધિકારીઓના ઘરની સ્થિતિ આવી જ હતી, પણ હવે અમને પુછનાર અને મદદ કરનાર કોઈ ન હતું.
(ક્રમશ:)

Post Views: 9,242
Previous Post

નીલમ જે ફૌજ લડવા માટે તૈયાર નથી તેમના માટે આપણે ઈશુની જેમ મરી ફીટવાની જરૂર નથી

Next Post

BJP સાંસદ નિશિકાંત દુબે અને મનોજ તિવારી સહિત 9 પર જબરજસ્તી ATC રૂમમાં ઘુસવાનો આરોપ, કેસ દાખલ

Prashant Dayal

Prashant Dayal

પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

Related Posts

Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

by Navajivan News Team
March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

by Navajivan News Team
March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

by Navajivan News Team
March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

by Navajivan News Team
March 23, 2023
Rahul Gandhi convicted by Surat court
Surat

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

by Navajivan News Team
March 23, 2023
Next Post
BJP સાંસદ નિશિકાંત દુબે અને મનોજ તિવારી સહિત 9 પર જબરજસ્તી ATC રૂમમાં ઘુસવાનો આરોપ, કેસ દાખલ

BJP સાંસદ નિશિકાંત દુબે અને મનોજ તિવારી સહિત 9 પર જબરજસ્તી ATC રૂમમાં ઘુસવાનો આરોપ, કેસ દાખલ

ADVERTISEMENT

Recommended

મોડાસા: હોસ્ટેલમાં રહેતા ધો.૧૨ ના વિદ્યાર્થીએ પંખા પર લટકી આત્મહત્યા કરી લેતા ચકચાર

મોડાસા: હોસ્ટેલમાં રહેતા ધો.૧૨ ના વિદ્યાર્થીએ પંખા પર લટકી આત્મહત્યા કરી લેતા ચકચાર

January 31, 2022
જુનાગઢઃ મણાવદરમાં રિવરફ્રન્ટ માટે વૃદ્ધાનું 40 વર્ષ જુનુ ઘર તૂટ્યૂં, આઘાતમાં એસિડ પી લીધું

જુનાગઢઃ મણાવદરમાં રિવરફ્રન્ટ માટે વૃદ્ધાનું 40 વર્ષ જુનુ ઘર તૂટ્યૂં, આઘાતમાં એસિડ પી લીધું

January 13, 2022

Categories

Don't miss it

Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

March 23, 2023
Rahul Gandhi convicted by Surat court
Surat

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

March 23, 2023
Rajkot Cleaners Death
Rajkot

રાજકોટ RMC ચૂકવશે રૂ.10 લાખ વળતર અને આપશે આવાસ, ગટરમાં ઉતરેલા સફાઈકર્મીના પરિવારે મૃતદેહ સ્વિકાર્યો

March 22, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

© 2022 Navajivan News .

Navigate Site

  • About us
  • Contact Us
  • Advertise with us

Follow Us

No Result
View All Result
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International

© 2022 Navajivan News .

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist